WhatsApp ગ્રૂપમાં જોડાવો!

હાર્ટ એટેક સામે આયુર્વેદ બન્યું રામબાણ, સર્જરી વિના હૃદયનું 90% બ્લોકેજ કર્યું ઠીક.

હાર્ટ એટેક સામે આયુર્વેદ બન્યું રામબાણ, સર્જરી વિના હૃદયનું 90% બ્લોકેજ કર્યું ઠીક: ભારતમાં હાર્ટ એટેકના કેસ ખૂબ વધી રહ્યા છે, હાલ યુવાનોમાં પણ ખૂબ વધારે હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હૃદયમાં બ્લોકેજને કારણે હાર્ટ એટેક આવે છે. બ્લોકેજની સારવાર માટે ડોક્ટરો સર્જરીની ભલામણ કરતા હોય છે, પરંતુ દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદના ડોક્ટરોએ આયુર્વેદિક પદ્ધતિઓ દ્વારા જ હાર્ટ એટેકના દર્દીની સારવાર કરી છે. જેમાં ૯૦ ટકા બ્લૉકેજ હતું. સારવાર બાદ બ્લોકેજ દૂર થઈ ગયું છે. આમ સર્જરી વગર હૃદયનું 90% બ્લોકેજ આયુર્વેદિક ટ્રીટમેન્ટ થી ઠીક કર્યું છે. હાર્ટ એટેક સામે આયુર્વેદ રામબાણ બન્યું છે.

જો કોઈ દર્દીના હૃદયમાં 90% બ્લોકેજ હોય તો ડોક્ટરો તેને સર્જરી કરવાની સલાહ આપે છે. આવા કિસ્સાઓમાં દર્દી તેના હૃદયની સર્જરી પણ કરાવે છે.

પરંતુ હવે આયુર્વેદની મદદથી હૃદયના દર્દીઓને સર્જરી વગર સારવાર આપી શકાશે. જેઓ અત્યાર સુધી હૃદય રોગની સારવાર માટે માત્ર એલોપેથી પર આધાર રાખતા હતા તેમના માટે આ એક સારા સમાચાર છે.

અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન દિલ્હીના ડોક્ટરોએ હાર્ટ એટેકના દર્દીની આયુર્વેદની સારવાર કરી છે. હૃદયની ધમનીમાં 90% બ્લોકેજ હોવા છતાં દર્દીને સર્જરીની જરૂર ન પડી અને તે સંપૂર્ણ રીતે ફીટ થઈ ગયો છે. તે માત્ર આયુર્વેદિક દવાથી સાજા થયા છે.

ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ આયુર્વેદમાં આવેલા 50 વર્ષના અવધેશ કુમારને હાર્ટ એટેક આવ્યો હતો. એનજીઓગ્રાફીમાં ખબર પડી કે તેની ધમનીમાં ૯૦ ટકા બ્લૉકેજ છે. ડોક્ટરોએ તેમને બે સ્ટેન્ટ નાખવાની સલાહ આપી. અવધેશ જ્યારે દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદમાં આવ્યો ત્યારે ડોક્ટરોએ તેની સારવાર આયુર્વેદ અને પંચકર્મથી કરી.

ત્રણ મહિના સુધી આયુર્વેદિક દવાઓ આપવામાં આવી હતી. હવે જ્યારે અહીં એનજીઓગ્રાફી કરવામાં આવી ત્યારે દર્દીમાં માત્ર 0-5 ટકા બ્લોકેજ જોવા મળ્યું હતું અને હૃદય રોગનું જોખમ સંપૂર્ણપણે ઘટી ગયું હતું. આ સારવાર ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદના ડોક્ટર દિવ્યા કજરીયા ના નેતૃત્વમાં કરવામાં આવી છે.

સોર્સ : TV 9 ગુજરાતી

Leave a Comment