WhatsApp ગ્રૂપમાં જોડાવો!

હોળીની ઝાળ: હોળીની ઝાળ પરથી જાણો વર્ષ કેવું રહેશે.

હોળીની ઝાળ: આ વર્ષે 24 માર્ચે હોળી એટલે કે હુતાસણી છે. હોળીના દિવસે સાંજે સારા ચોઘડિયા તમામ ગામ અને વિસ્તારોમાં હોળી દહન કરવામાં આવે છે. પ્રાચીન માન્યતાઓ અને મહિમા અનુસાર ઘણા વૃદ્ધ અને જાણકાર લોકો હોળીનો પવન એટલે કે હોળીની ઝાડ કઈ દિશામાં થી કઈ દિશામાં જાય છે તેનું દર વર્ષે નિરીક્ષણ કરતા હોય છે. અને એમ કહેવામાં આવે છે કે હોળીની ઝાડ એટલે કે હોળીના પવન પરથી આવનારું વર્ષ કેવું રહેશે તેનો ચોક્કસ અંદાજ લગાવી શકાય છે. તો ચાલો જાણીએ હોળીની ઝાડ કઈ દિશામાંથી કઈ દિશામાં જાય તો આવતા વર્ષે વરસાદ કેવો થાય?

વર્ષનો વર્તારો.

હોળીનો તહેવાર આધ્યાત્મિક રીતે ઘણો મહત્વ ધરાવે છે. હોળીના દિવસે પવનની દિશા આવનારા વર્ષ માટે મહત્વની માનવામાં આવે છે. હોળીમાં પવનની દિશા પરથી આવનારું વર્ષ કેવું રહેશે અને કેવો વરસાદ થશે તેનું અનુમાન રણકાર લોકો કરતા હોય છે. એ જ રીતે પવનની દિશા પરથી વરસાદ તેમજ દુષ્કાળનું અનુમાન પણ જાણકાર લોકો લગાવતા હોય છે. ત્યારે હવે હવામાન વિભાગ નિષ્ણાંત અંબાલાલ પટેલે હોળીના પવનની દિશા અને તેની અસરો અંગેના વલણો ની અગત્યની માહિતી જાહેર કરી છે.

હોળીના પવનનું મહત્વ

આપણે ત્યાં પ્રાચીન એક ભડલી વાક્ય ખૂબ જ ફેમસ છે. “હોળી દિન નો કરો વિચાર, શુભ અશુભ ફળ સાર, પશ્ચિમ નો વાયુ વાય, એ જ સમય સારો કહેવાય.” દરેક ગામ અને સોસાયટીમાં શુભ મુહૂર્તમાં હોલિકા પ્રગટાવવામાં આવે છે. ત્યારે હોળીનો પવન કઈ દિશામાં જાય છે તેનું લોકો ખાસ અવલોકન કરતા હોય છે. અને કહેવતો મુજબ હોળીના દિવસે જો પશ્ચિમ નો પવન ફૂંકાતો હોય અને પૂર્વ દિશામાં હોળીની ઝાડ જાય તો ચોમાસે વરસાદ સારો રહે તેવી માન્યતા છે.

હોળીના પવન પરથી વરસાદનું અનુમાન

અહીં એક પ્રાચીન ચાર્ટ આપેલો છે એના દ્વારા સમજીએ કે હોળીનો પવન કઈ દિશામાં જાય તો કેવું વર્ષ થાય. જાણો શું છે પ્રાચીન માન્યતા.

  • હોળીની ઝાડ હોળીના દિવસે પવનની દિશા પરથી વરસાદનું અનુમાન કરવામાં આવે છે.
  • જો હોળીમાં ઉત્તર દિશા તરફનો પવન ફૂંકાય તો વરસાદ સારો થાય તથા શિયાળો સારો ગણાય અને ધાન્ય ઘણુ પાકે તેવી માન્યતા છે.
  • પવન પૂર્વ દિશા નો ફંકાઈ તો બાર આની વર્ષ થાય એટલે કે વરસાદ ખૂબ સારો થાય
  • હોળીમાં દક્ષિણ દિશા નો પવન ફૂંક કહેતો પ્રાચીન માન્યતા અનુસાર દુષ્કાળનો ભય સેવાય અને ધાન્યાની અચ્છા તો સર્જાય.
  • હોળીમાં ઇશાન ખૂણાનો પવન ફૂંકાય તો વર્ષ સારું રહે પણ ઠંડી રહે એટલે કે 16 આની વર્ત થાય તેવી માન્યતા છે
  • તો હોળીમાં પશ્ચિમ દિશા નો પવન ફૂંકાય તો વાડી ન સુકાય તેવો સારો વરસાદ થાય મતલબ કે આઠ આની ચોમાસુ રહે
  • હોળીમાં વાયવ્ય દિશા નો પવન વાય તો વરસાદ પવન સાથે સારો થાય.
  • હોળીમાં નૈઋત્ય દિશાનો પવન સાધારણ વરસાદ લાવે છે અને રોગ જીવાત આવવાનો ભય રહે તેવી માન્યતા છે.
  • અગ્નિ ખૂણાનો પવન હોય તો દુષ્કાળ થવાની સંભાવના રહેલી છે.
  • અને જો પવન ચારે દિશાથી જુદી જુદી દિશાઓમાં ફર્યા કરે તો વર્ષ નબળું ગણાય છે
  • હોળીમાં ધુમાડો સીધો ઉપર જાય તો યુદ્ધ લડાઈ જેવા સંકટ આવવાની શક્યતાઓ રહેલી છે તેવી પ્રાચીન માન્યતા છે.

Leave a Comment